PM Kisan Yojana e-KYC Compulsory : 2000 નો હપ્તો મેળવવા ખેડૂત લાભાર્થીઓએ 25 નવેમ્બર સુધી ફરજિયાત ઈ- કેવાયસી કરવું પડશે. - Ojas Job

PM Kisan Yojana e-KYC Compulsory : 2000 નો હપ્તો મેળવવા ખેડૂત લાભાર્થીઓએ 25 નવેમ્બર સુધી ફરજિયાત ઈ- કેવાયસી કરવું પડશે.

 

PM Kisan Yojana e-KYC Compulsory : 2000 નો હપ્તો મેળવવા ખેડૂત લાભાર્થીઓએ 25 નવેમ્બર સુધી ફરજિયાત ઈ- કેવાયસી કરવું પડશે.

કેન્‍દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બહાર પાડેલી છે. આ યોજના હેઠળ દર ત્રણ મહિને રૂ. 2000/- ની સહાય આપવામાં આવે છે. લાભાર્થીના ખાતામાં અત્યાર સુધીમાં PM Kisan Yojana 18th Installment સહાય જમા કરવામાં આવેલ છે. આગામી 19 મા હપ્તાની સહાય મેળવવા માટે લાભાર્થી ખેડૂતોએ ફરજિયાત e-KYC કરવાનું રહેશે.


પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માહિતી

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ૧૫મા હપ્તાથી ઈ-કેવાયસી ફરજીયાત કરવામાં આવ્યું છે. રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને ઈ-કેવાયસી કરાવવાનું બાકી હોય તેમણે હવે 18 મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે. બાકી રહેલા ખેડૂતો માટે 25th November સુધી ઝૂંબેશ, કિસાન યોજનાનો 18મો હપ્તો મેળવવા હવે ઈ-કેવાયસી ફરજિયાત કરાવવાનું રહેશે. જે લાભાર્થીઓનો આધાર કાર્ડ સાથે મોબાઈલ લીંક હોય તેવા લાભાર્થીઓ દ્વારા સરળતાથી જાતે જ ઈ-કેવાયસી કરી શકે છે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માહિતી

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ૧૫મા હપ્તાથી ઈ-કેવાયસી ફરજીયાત કરવામાં આવ્યું છે. રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને ઈ-કેવાયસી કરાવવાનું બાકી હોય તેમણે હવે 18 મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે. બાકી રહેલા ખેડૂતો માટે 25th November સુધી ઝૂંબેશ, કિસાન યોજનાનો 18મો હપ્તો મેળવવા હવે ઈ-કેવાયસી ફરજિયાત કરાવવાનું રહેશે. જે લાભાર્થીઓનો આધાર કાર્ડ સાથે મોબાઈલ લીંક હોય તેવા લાભાર્થીઓ દ્વારા સરળતાથી જાતે જ ઈ-કેવાયસી કરી શકે છે.

કેન્‍દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાં રજીસ્ટર થયેલા ખેડૂત લાભાર્થીઓ માટે 19 માં હપ્તાના ચૂકવણા માટે ઈ-કેવાયસી કરવાનું રહેશે. લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી આગામી 25 મી, નવેમ્બર સુધી ચાલુ રહેશે. આ યોજના હેઠળ, સરકારશ્રી દ્વારા છેલ્લા 7 હપ્તાથી તબક્કાવાર ઈ-કેવાયસી અને આધાર સીડિંગ-ડીબીટી એનેબલ, લેન્ડ સીડિંગ તથા ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. આ બાબતો પૈકી એકપણ બાબત પૂર્ણ કરવાની બાકી હોય તે તમામ લાભાર્થીઓએ તે સત્વરે પૂર્ણ કરવી પડશે.

પીએમ કિસાન ઈ-કેવાયસી કેવી રીતે કરવું?

  • સૌથી પ્રથમ Google માં PM KISAN PORTAL ટાઈપ કરો.
  • આ અધિકૃત પોર્ટલ પર Home Page પર જાઓ.
  • હવે હોમ પેજ પર “Farmer Corner” પર જાઓ.
  • આ Farmer Corner માં e-KYC પર ક્લિક કરો.
  • જેમાં “OTP Based Ekyc” નામનો ઓપ્શન આવશે. તેના પર ક્લિક કરો.
  • હવે નવું પેજ ખુલશે, તેમાં આધારકાર્ડ નંબર માંગવામાં આવશે.
  • આધારકાર્ડ નંબર નાખીને Get Mobile OTP ઓપશન પર ક્લિક કરો.
  • તમારા મોબાઈલ નંબર પર આવેલ OTP આવશે તે બોક્ષમાં નાખવાનું રહેશે.
  • ત્યારબાર Get Aadhar નામનું નવું ઑપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
  • આગળ તમારા આધારકાર્ડ સાથે Link કરેલા મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે, જે OTP ને તમારે વેબસાઈટમાં નાખવાનો રહેશે.
  • છેલ્લે, તમારે Submit for Auth બટન પર ક્લિક કરીને વેરિફિકેશનની કામગીરી કરવાની રહેશે.

ઉપયોગી લિન્ક

પીએમ કિસાન યોજના માટે e-KYC વેબસાઈટ અહી ક્લિક કરો

Leave a Comment